જાફરાબાદ તાલુકાના તાલુકા પે.
સેન્ટર શાળા માં જાફરાબાદ તાલુકાની વિવિધ શાળાઓમાં સર્વિસ કરતા એચ.ટાટ આચાર્ય શ્રી ઓ ની બદલી થતાં આ સન્માન સમારોહ યોજાયો હતો.આ સન્માન સમારોહ સમસ્ત કાર્યક્રમ જાફરાબાદ તાલુકાના તમામ શાળા ના આચાર્ય શ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
દિપ પ્રાગટ્ય ટી.પી.ઓ.શ્રી બળવંતભાઈ સાંખટ,બી.આર.સી.શ્રી ચિરાગભાઈ દેવ મુરારી, આચાર્ય શ્રી સંતોકબેન ડોડીયા, તથા શિક્ષક સંઘ મહામંત્રી શ્રી સચીનભાઈ મહેતા એ કર્યું હતું.
અને તમામ એચ.ટાટ. આચાર્ય શ્રી ઓ ની કામગીરી ને બીરદાવી હતી
બદલી થનાર આચાર્ય શ્રી ઓ માં શ્રી ધર્મેશભાઈ ગોંડલીયા સહિત ચૌદ આચાર્ય શ્રી છુટા થય પોતાના વતન નો લાભ લીધો છે આ તકે બદલી થનાર તમામ આચાર્ય શ્રી ઓ દ્વારા સ્વેચ્છાએ તાલુકા પંચાયત શિક્ષણ શાખા માં રૂપિયા -16500 નું અધ્યતન પ્રિન્ટર ભેંટ આપેલ છે. તે બદલ સમગ્ર એચ.ટાટ. આચાર્ય શ્રી નો શિક્ષણ શાખા આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય સન્માન સમારોહ માં તાલુકા પે. સેન્ટર શાળા ના શિક્ષક ગણ એ સુંદર સેવા આપી હતી. અને આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શ્રી રમેશભાઈ મારૂ એ કરેલ હતુ.
રિપોર્ટર -જે.પી.પરમાર.જાફરાબાદ
